Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

માણાવદરમાં ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા ભાગવત કથા

માણાવદર તા.૪: માણાવદર ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા સ્વામિનારાયણ ભગવાનની અસીમ કૃપાથી તેમજ પ.પૂ. ધ.ધુ.૧૦૦૮ આચાર્યશ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા ભાવિ આચાર્ય ૧૦૮ શ્રી નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજના શુભ આશીર્વાદથી આગામી તા. ૨૮-૪-૧૯થી ૪-૫-૧૯ દરમ્યાન યોજાનાર શ્રીમદ્દ ભાગવત કથાના આયોજન અંતર્ગત શ્રી મોક્ષદાત્રી ભકત ચિંતામણી કથાનું આયોજન માણાવદર ખાતે થયેલ હતું.

ગાદીવાળા પ.પૂ.શ્રી માતૃશ્રીની આજ્ઞાથી મહિલા સત્સંગ મંડળે દિવ્ય અન્નકોટનું પણ ભકતચિંતામણી કથામાં આયોજન કરેલ જેમાં વકતાશ્રી પૂ. ખુશાલ ભગત તથા જનમંગલ ભગતે આગવી શૈલીમાં હરિભકતોને તરબોળ કરેલ આ કથા દરમ્યાન પ.પૂ. લાલજી મહારાજશ્રીના આશીર્વાદ પાઠવેલ હતા.

(2:47 pm IST)