Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભેસાણના ખાખરા હડમતીયા ગ્રામજનો દ્વારા જુના રામજી મંદિરનો ૩દિ' પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

વડિયા તા.૪: ભેસાણ તાલુકાના ખાખરા હડમતીયા ગામે ભારતીય પ્રાચીન અને અર્વાચીન પરંપરામાં ઇશ્વરની આરાધનામાં જુના રામજી મંદિર (ચોરા)ના જીર્ણોદ્વાર કરી નૂતન દેવાલયમાં ભગવાન શ્રી રામ ભગવતી સીતામાતા, શ્રી લક્ષ્મીજી, શ્રી રાધા કૃષ્ણજી, આદ્યશકિત માં અંબાજી ગણેશજી હનુમાનજી મહારાજ પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન તા. ૭-૧૨-૧૮ થી ૯-૧૨-૧૮ કરવામાં આવેલ છે.

યજ્ઞના આચાર્ય તરીકે શાસ્ત્રી ભુપતભાઇ (થોરખાણ) અને સંતવાણી તા.૬-૧૨ ગુરૂવાર રાત્રે પ્રેમશંકર અદા મહેશભાઇ વાગડીયા, (ખીરસરા), ઉર્વીશબેન પટેલ, રસીલાબેન પટેલ, મનુભાઇ વેકરીયા, લલીતભાઇ ત્રીવેદી, તબલાવાદક ગ્રુપ તા.૭-૧૨ શુક્રવાર ભવાઇ મંડળ શ્રી બાબુભાઇ વ્યાસ, બજરંગ ભવાઇ મંડળ(મોરબી વાળા), તા.૬-૧૨- શનિવાર શ્રી માનસીંગ ગોહિલ હરદેવભાઇ હુબલ, સંગીતાબેન હિતેષભાઇ અંટાળા ભકિતરામજી લોક સાહિત્ય પીરસશે.

તા.૯-૧૨ રવિવારે મેડીકલ કેમ્પ તથા રકતદાન કેમ્પ યોજાશે. સ્વામીનારાયણ મંદિર ગુરૂકુળ રાજકોટ તરફથી આંખ, દાત અને જનરલ ડોકટરનો નિદાન કેમ્પ તથા રકતદાન કેમ્પનું આયોજન કરેલ છે.

ધર્મ પ્રેમી ભાઇ બહેનોએ ત્રણેય દિવસ ભોજન પ્રસાદ ભજન સંત દર્શનનો લાભ લેવા ગામ સમસ્ત કમિટી અને પૂજારી રવિરામબાપુએ અપીલ કરી છે.(૧.૫)

(12:54 pm IST)