Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ગુજરાતની પ્રજા ભોળી છે, ભાજપથી ન છેતરાતાઃ અખિલેશ યાદવ જામનગરમાં: દ્વારકાધીશના દર્શને

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવનું આજે જામનગર એરપોર્ટ ઉપર આગમન થયુ હતુ જ્યાં સમાજવાદી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યુ હતું. જામનગરથી તેઓ દ્વારકાધીશના દર્શન માટે રવાના થયા હતા. એરપોર્ટ ખાતે પત્રકારો સાથે વાતચીતમાં અખિલેશ યાદવે જણાવ્યુ હતુ કે, ગુજરાતની પ્રજા ભોળી છે. તેઓ ભાજપથી ન છેતરાય તે જરૂરી છે. અખિલેશ યાદવના ગધેડા વિશેના નિવેદન અંગે પત્રકારોને જૂની વાત કરી હતી. ગઠબંધન અંગે પણ હવે પછી જણાવીશું તેમ કહ્યુ હતું. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(5:23 pm IST)