Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

દિપુભાઇ રાજયગુરૂ ઉપરના હુમલાને વખોડતી જુનાગઢ-જીલ્લા કોંગ્રેસ સમિતી

 જુનાગઢઃ ભારતીય જનતા પાર્ટીનાં સરમુખત્યારોએ ઇન્દ્રનીલભાઇ રાજયગુરૂનાં ભાઇ દિવ્યનીલભાઇ (દિપુભાઇ) રાજયગુરૂ ઉપર જીવલેણ હુમલા બાદ પોલીસે તેમજ સામાપક્ષે જે નિર્દોષો ઉપર અત્યાચાર ગુજાર્યો છે તેમાં જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવા અને હુમલો કોના ઇશારે થયો છે? તેની તપાસ કરી તમામ જવાબદારો સામે કાર્યવાહી કરવા અને સમગ્ર ઘટનાને જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમીતી વખોડીને જણાવ્યું છે કે, ભારતીય જનતા પાર્ટીના લોકો સતા ટકાવી રાખવા હવાતીયા મારી રહયા છે અને ગુંડાઓને આગળ ધરીને શાંતિના વાતાવરણને ડહોળવાના જે પ્રયાસો કરી રહયા છે આવુ લોકશાહીનું ખુન કરનારાઓના કૃત્યને અમો જુનાગઢ જિલ્લા કોંગ્રેસ સમીતી વતી સખત શખ્દોમાં વખોડતું નામ મહામુહીમ રાજયપાલશ્રીને સંબોધીને જુનાગઢ જિલ્લા કલેકટરશ્રીને એક આવેદન પત્ર આપેલ છે. આ આવેદનપત્રજુનાગઢ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી વી.ટી. સીડા તેમજ મનોજભાઇ જોષી, નરેન્દ્રભાઇ હીરપરા, ગાંડુભાઇ ઠેસીયા, અરજણભાઇ કારાવદરા, પ્રતાપભાઇ ભરાડ, ભીખુભાઇ, નરેન્દ્રભાઇ વ્યાસ, શકીલભાઇ મુન્શી, ભીખાભાઇ કાછડીયા, મનસુખભાઇ પોલરા વિગેરે કોંગ્રેસી કાર્યકરો ઉપસ્થિત રહયા હતા. (અહેવાલઃ વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(2:23 pm IST)