Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

ભાવનગર-બાન્દ્રા ટ્રેનને જોરાવરનગરમાં સ્ટોપ આપવાની માંગ સાથે શહેર બંધ રહ્યું

રાજકીય કિન્નાખોરીથી ટ્રેનનો સ્ટોપ બંધ કરી દેવાયાનો આક્ષેપ કરતાં નગરજનો

 વઢવાણ તા. ૪ :.. જોરાવરનગર ખાતે ભાવનગર-બાંદ્રા ટ્રેનને સ્ટોપ આપવાની માંગણી સાથે વેપારીઓએ બંધ પાળ્યો હતો. તંત્રને ઢંઢોળવા પ્રયાસ કર્યો હતો.

સુરેન્દ્રનગર શહેરના જોરાવરનગર ખાતેનાં રેલ્વે સ્ટેશન ખાતે પહેલા જ થી વઢવાણ, સુરેન્દ્રનગર વચ્ચેના સેન્ટરમાં ભાવનગર - બાંન્દા ટ્રેનને સ્ટોપેઝ આપવામાં આવેલ હતું. ત્યારે રાજકીય કિન્નાખોરીના કારણે અવાર નવાર રજૂઆતો કરી ભાવનગર - બ્રાન્દ્રાનું સ્ટોપે જ જોરાવરનગર બંધ કરાવી અને સુરેન્દ્રનગરનગર ગેઇટ સ્ટેશને આપવા માટેની માંગ કરાતા ભાવનગર - બાન્દ્રા ટ્રેનને સુરેન્દ્રનગર ગેઇટ સ્ટેશન ખાતે સ્ટોપેજ અપાયુ હતું. આથી તેના વિરોધમાં જન રક્ષક હિત સમિતી દ્વારા ભાવનગર - બ્રાન્દ્રા ટ્રેનને  જો સ્ટોપ ન અપાયુ તો લડત લડવા અને સ્ટોપેઝ અપાવવા માટેની માંગ કરેલ પરંતુ જેનુ કોઇ જ પ્રકારનું નિરાકરણ ન આવતા આજે જયારે મતદાનને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જોરાવરનગર હિત રક્ષક સમિતિ દ્વારા આજે જોરાવરનગર બંધ રખાવી અને બ્રાન્દ્રાનો સ્ટોપ આપવાની માંગ સાથે બંધના એલાનને સફળ બનાવ્યું હતું.

 

(2:12 pm IST)