Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જુનાગઢમાં ધોબી સમાજ સમુહલગ્ન સંપન્નઃ વ્યસનમુકિત પ્રદર્શનઃ બેટી બચાવો-પઢાવોના સંકલ્પ

જુનાગઢ, તા., ૪: સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા આયોજીત પાંચમાં સમુહ લગ્નોત્સવ યોજાયો હતો.

ધોબી સમાજના ઉદ્યોગપતિ મગનભાઇ પરમાર દ્વારા નવદંપતીઓને સ્ત્રભુણ હત્યા નકરવા, બેટી બચાવવાનો સંકલ્પ લેવડાવ્યા હતા આ ઉપરાંત કેન્સરથી બચવા માટે પ્રદર્શનનું આયોજન કરી યુવા વર્ગને પાન, બીડી, તમાકુ ગુટકા જેવા વ્યસનથી મુકત રહેવા માટે દવાઓ વિનામુલ્યે આપવામાં આવેલ હતી.

આ સમુહ લગ્નમાં ૧૮ નવદંપતી પ્રભુતામાં પગલા પાડેલ હતા અને દરેક દીકરીઓને, સોનાના દાણા, કબાટ, સેટી, પલંગ, મંગલસુત્ર, સુટકેશ, ખુરશી વિગેરે જીવન જરૂરી ૧૧પ જેટલી વસ્તુઓ આપવામાં આવેલ હતી.

સૌરાષ્ટ્ર ધોબી સમાજના અગ્રણી દ્વારા યુવા કાર્ય કરતાઓને ધંધા માટેનું માર્ગદર્શન અર્થે તેમજ સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓના રોજગાર લક્ષી લાભો અંગે ગાંધીનગરથી પધારેલ શશીભાઇ ચુડાસમા-અમદાવાદથી અશ્વીનભાઇ પટેલ, મગનભાઇ પરમાર, ગોવિંદભાઇ સોલંકી, રાજકોટના શ્રેયસભાઇ વાઘેલાએ માર્ગદર્શન આપેલ હતું. પ્રદર્શન ઉદઘાટક દાનવીરશ્રી બોટાદના રસીકભાઇ જાદવ, ભરતભાઇ વાઘેલા, રમાબેન વાઘેલા લંડનવાળાના હસ્તે ખુલ્લુ મુકવામાં આવ્યું હતું.

સમારંભમાં દીપકભાઇ વાળા-પોરબંદર, દીપકભાઇ વાઘેલા-રાજકોટ, મનસુખભાઇ સોલંકી, મુકેશભાઇ વાજા-અમદાવાદ, અશોકભાઇ પરમાર, નરેશભાઇ જાદવ-બોટાદ, ધીરૂભાઇ ગોહેલ-ધોરાજી, કિશનભાઇ પરમાર-માંગરોળ, ધીરૂભાઇ મારૂ-અમરેલી, મુંબઇના પત્રકાર રણછોડભાઇ વાળા, પ્રવિણભાઇ વાળા-પોરબંદર, મનસુખભાઇ જેઠવા-જેતપુર જેન્તીભાઇ દીહોરા-પાલીતાણા, નારણભાઇ વાજા-કેશોદ, જયેશભાઇ પરમાર-કેશોદ, રણછોડભાઇ સોલંકી, યોગેશભાઇ ગોહેલ, ભગાભાઇ સોલંકી, વિમલભાઇ ચૌહાણ-દ્વારકા, બટુક બાપુ, કાંતીભાઇ પરમાર-સુરત વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવક મંડળના પ્રમુખ મનસુખભાઇ વાજા, પ્રજ્ઞેશભાઇ વાજા, છોટુભાઇ વાજા, જેન્તીભાઇ બ્રહ્માણી, લક્ષ્મણભાઇ સોલંકી, હસુભાઇ મારૂ, અલ્પેશભાઇ પરમાર, વેલજીભાઇ વાજા, ભુપતભાઇ વાળા, દેવેનભાઇ  વાજા, પરશુરામભાઇ ચૌહાણ, હીતેષભાઇ વાજા, મહેશભાઇ ચુડાસમા, અનીલભાઇ ગોહેલ, મધુભાઇ વાળા, ગોપાલભાઇ સોલંકી, જાદવભાઇ વાળા, અશોકભાઇ સોલંકી, ભીખુભાઇ વાઘેલા, મનસુખભાઇ વાજા, રોનકભાઇ વાજા, અશોકભાઇ વાજા, સંજયભાઇ વાજા વીગેરેએ જહેમત ઉઠાવેલ હતી.

વાણંદ સમાજના જિલ્લા પ્રમુખપદે નિમણુંક

સમસ્ત વાણંદ સમાજ(જુનાગઢ)ની કારોબારીની મીટીંગ સમસ્ત વાણંદ સમાજનાં પ્રમુખ ભરતભાઇ લીંબાણીના અધ્યક્ષ સ્થાને મળી હતી. આ મીટીંગમાં વાળંદ સમાજ સર્વાગી વિકાસ તથા સંગઠનને લઇ વિવિધ મુદા ઉપર ચર્ચા કરાયેલ અને વાણંદ સમાજના જિલ્લા પ્રમુખ તરીકે ચુડાસમા ધનસુખભાઇની સર્વાનુમતે જિલ્લા પ્રમુખ તરીકે નિમણુંક કરેલ છે.

આ મીટીંગો ભરતભાઇ લીંબાણી-ધનસુખભાઇ ચુડાસમા, રાજુભાઇ ચુડાસમા, પી.ટી. પરમાર, ભીખુભાઇ રાઠોડ, રમણભાઇ ખરચણીયા, રમેશભાઇ વાજા, દિપકભાઇ ખરચલીયા, મનોજ લખતરીયા, મનોજ વૈષ્નવ સહીતના આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.

(12:38 pm IST)