Gujarati News

Gujarati News

News of Monday, 4th December 2017

જસદણ-આટકોટમાં પૂ. હરિરામબાપા પ્રેરીત અન્નક્ષેત્ર-રામધુન

 જસદણ : જસદણ અને આટકોટમાં બ્રહ્મલીન સંત શ્રી હરિરામબાપા પ્રેરીત અન્નક્ષેત્ર અને અખંડ રામધુન વર્ષોથી ધમધમી રહ્યા છે. તેનો સીધો લાભ સમાજના ગરીબજનોને મળી રહ્યો છે. જસદણ અને આટકોટ ગામમાં છેલ્લા ૪૦ વર્ષથી અન્નક્ષેત્ર ચાલી રહ્યું છે. જેમાં ઓછી આવકવાળા ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને દરરોજ બે ટાણાં ગરમા ગરમ સ્વાદીષ્ટ અને પોષ્ટીક ભોજન વિનામુલ્યે મળી રહ્યું છે. સાથે ર૪ કલાક રામ નામની આહલેક ખાસ કરીને પરમ પૂજય બ્રહ્મલીન સંત શ્રી હરિરામ બાપાના શિષ્યો દ્વારા જે મહેનત, ધગશ, ભકિતભાવ, વર્તનનો જોટો જડે તેમ નથી. આથી લોકો ધુન-પ્રસાદનો બહોળી સંખ્યામાં લાભ લે છે. (તસ્વીર - અહેવાલ : હુસામુદી કપાસી -જસદણ)

(12:30 pm IST)