Gujarati News

Gujarati News

News of Wednesday, 4th November 2020

જુનાગઢના કમલ સેજપાલની ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના ઉપપ્રમુખ પદે વરણી

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૪: ગુજરાત ટી ટ્રેડર્સ એસોસીએશનના નવનિયુકત કારોબારીમાં જુનાગઢના કમલ સેજપાલની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવેલ છે.

કમલ સેજપાલની વરણીને સૌરાષ્ટ્રનાં વેપારીઓએ આવકારી છે. તેઓ અનેક ધાર્મિક સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલ છે. પ્રમુખ તરીકે રાજકોટના દિનેશભાઇ કારીયા તેમજ મંત્રી તરીકે નિરજ પટેલ આણંદની સર્વસંમતીથી નિયુકત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાતના ચાના વેપારીઓનું ભારતમાં સૌથી વધુ સંખ્યા ધરાવતું ૪૪ વર્ષથી કાર્યરત આ એસોસીએશન છે અને દર ત્રીમાસીક કલરફુલ સોવિનીયર દ્વારા ચા બજારની માહીતી આપવામાં આવે છે. કમલ સેજપાલને તેમના શુભેચ્છકો મો.નં. ૯૪ર૭ર ર૯ર૦૧ ઉપર શુભેચ્છાઓ પાઠવી રહયા છે.

(1:08 pm IST)