Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જામનગરમાં પૂ.જલારામબાપાની જન્મજયંતીની ઉજવણીઃ લોહાણા જ્ઞાતિજનો માટે સમુહ પ્રસાદ

જામનગરઃ છોટીકાશી ગણાતા જામનગરમાં સંત શિરોમણી જલારામબાપાની ૨૨૦મી જન્મજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી.ઙ્ગ શ્રી જલારામ જયંતી મહોત્સવ સમિતિ,જામનગરના નેજા હેઠળ રવિવારે જામનગરના પ્રદર્શન ગ્રાઉન્ડમાં સવારે બ્રહ્મ મસ્તાન ભોજન અને બાદમાં બપોરે લોહાણા જ્ઞાતિજનો માટે સમૂહ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ અને જામનગર લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલ, રમેશભાઈ દતાણી, વિરલ રાચ્છ,નીરજ દતાણી, પાર્થ સુખપરિયા,કેતન બદીયાણી,રાજુ મારફતીયા સહિતના લોહાણા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.(તસવીરોઃકિંજલ કારસરીયા,જામનગર)

(1:17 pm IST)