Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

આટકોટમાં શેલીયા પરિવાર આયોજીત ભાગવત કથામાં રૂક્ષ્મણી વિવાહની ઉજવણી

આટકોટઃ શેલીયા પરિવાર આયોજીત દિપકભાઇ મહેતાના વ્યાસાસને ચાલતી ભાગવત કથામાં ગઇ કાલે રૂક્ષ્મણી વિવાહની ભવ્ય અને દિવ્ય ઉજવણી કરવામાં આવી હતી જેમા કાનાણી પરિવાર આટકોટ દ્વારા ઠાકોરજીની જાડેરી જાન જોડવામાં આવી હતી જેમાં ડી.જે.ના તાલે લોકો મનભરી રાસે રમ્યા હતાં. શેલીયા પરિવાર દ્વારા આટકોટ-જંગવડ રોડ ઉપર હરીકૃપા પેટ્રોલીયમ સામે યોજાયેલ ભાગવત કથામાં ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કથા શ્રવણ કરી રહ્યા છે. (તસ્વીરઃ અહેવાલઃ વિજય વસાણી આટકોટ)

(12:02 pm IST)