Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

વાંકાનેરના માટેલમાં અમરધામ મંદિરે આઇશ્રી અમરમા-ગનુમાની પુણ્યતિથીની ઉજવણી

વાંકાનેર તા. ૪ :.. તાલુકાના માટેલમાં આવેલ અમરધામ મંદિર ખાતે અમરધામના પાવન આંગણે આઇ શ્રી ખોડીયાર માતાજીની અસીમ કૃપાથી શ્રી અમરધામ ચેરીબેટલ ટ્રસ્ટ તથા મહંત પૂ. શ્રી જાનભાઇ માતાજી દ્વારા આયોજીત બ્રહ્મલીન પ.પૂ. આઇશ્રી અમરમાં (ગનુમા) ની આજે સાતમી પુણ્યતીથી મહોત્સવ તા. ૪-૧૧-૧૯ ને સોમવારના રોજ સવારથી જ ભકિતમયના દિવ્ય માહોલ શુભ પ્રારંભ ધ્વજા રોહણ વિધી સવારના ૭.૩૦ કલાકે જય જય કારના ઘોષથી થયેલ હતો. આજરોજ પરમ પૂજય શ્રી અમરમા (ગનુમા) ની સાતમી પુણ્યતીથી નિમિતે પૂ. મહંત જાનબાઇમાની પાવન ઉપસ્થિતીમાં ભવ્ય પૂજન મહાઆરતી તેમજ આજે સાંજે ૬ વાગ્યાથી મહાપ્રસાદનું આયોજન છે. તેમજ સવારના ૯.૩૦ થી ૬ સુધી બ્લડ ડોનેશન કેમ્પ થઇ રહયો છે.

આ પ્રસંગે અનેક પ્રસિધ્ધ જગ્યાઓની સંતો-મહંતો તેમજ વિશાળ ભકત સમુદાય હાજર રહેેશે તેમજ આજે રાત્રે ૯.૩૦ કલાકે ભવ્ય સંતવાણી-લોકડાયરાનું આયોજન કરેલ છે જેમાં પ્રસિધ્ધ કલાકારો મથુરભાઇ હઠીયા, જેઠસુરભાઇ આહીર, જીલુદાન ગઢવી, ભારતીબેન મકવાણા, ચંદ્રીકાબેન ભીલ, બાબુભાઇ આહીર, દિનેશભાઇ બાલાસરા તથા નામી અનામી કલાકારો રંગત જમાવશે આ દિવ્ય પાવન પર્વે સર્વે ભાવિકોને પધારવા અમરધામના મહંત શ્રી જાનભાઇ મા દ્વારા  નિમંત્રણ છે.

(11:57 am IST)