Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

દામનગરમાં શકિતપીઠ ગાયત્રી મંદિરે યોજીત મહાયજ્ઞમાં સામાજિક સંવાદિતાના દર્શન થયા

 દામનગર,તા.૪: દામનગર શહેરના શકિતપીઠ ગાયત્રી મંદિર ખાતે સામાજિક સંવાદિતા પ્રગટાવતો ૨૫ કુંડી મહાયજ્ઞ ૬૫ દંપતી ઓ એ યજ્ઞ નારાયણને આહુતિ અર્પી શહેર માં થી અઢારે આલમની ઉપસ્થિતિમાં દરેક સમાજનો મહા યજ્ઞમાં પાટલો એક જ સ્થળે ૫૦ જ્ઞાતિ ઓ એ સામુહિક યજ્ઞ નારાયણને આહુતિ આપી હતી.

દામનગર શહેરમાં શકિત પીઠ ગાયત્રી મંદિર ખાતે દાઉદી વ્હોરા મુસ્લિમ સહિતના મહાનુભવો એ હાજરી આપી એકયતા ભાતૃપ્રેમનો સંદેશ આપ્યો. વૈદિક મંત્રોચારની ધ્વનિથી વાતાવરણને પ્રફુલ્લિત કરતા યજ્ઞાચાર્ય ઓ શહેરની અઢારે આલમની ઉપસ્થિતિએ માનવીય એકતાના અદભુત દર્શન કરાવતી સામાજિક સંવાદિતા પ્રગટાવી હતી.

ગાયત્રી મંદિર ખાતે દિવ્ય સાહિત્ય કેન્દ્ર પર ગૃરૂદેવ રચિત સાહિત્ય સ્ટોલ પર વ્યસન મુકિત અને સ્વચ્છતાની સામુહિક પ્રતિજ્ઞા લેતા ભાવિકો યજ્ઞ નારાયણના દર્શને આવતા શહેરી જનોએ સામાજિક સંવાદિતાથી ગદગદિત થયા ભાવાત્મક દ્રશ્યો શહેરની એકતા પરસ્પર ભાતૃપ્રેમ માનવતાનો સુંદર સંદેશ આપતા અનેકો મહાનુભવો.

(11:56 am IST)