Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ચરાડવામાં પૂ. દયાનંદગીરીજી મહારાજના આશિર્વાદ લેતા વિજયભાઈ રૂપાણી-અંજલીબેન રૂપાણી

રાજકોટઃ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ચરાડવા ખાતે આવેલા મહાકાળી આશ્રમે પૂ. દયાનંદગીરીજી મહારાજ અને પૂ. અમરગીરીબાપુના સાનિધ્યમાં આયોજીત ધર્મોત્સવમાં કાલે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા તેમના ધર્મપત્નિ શ્રીમતિ અંજલીબેન રૂપાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા. અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા અને આયોજકોની ટીમે શ્રી વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીનું સ્વાગત કર્યુ હતું. પૂ. દયાનંદગીરીજી મહારાજના આશિર્વાદ લઈને વિજયભાઈ રૂપાણી અને અંજલીબેન રૂપાણીએ ધન્યતા અનુભવી હતી. આ તકે નીતિનભાઈ ભારદ્વાજ, કાંતિભાઈ અમૃતિયા, જયંતીભાઈ કવાડિયા સહિતના ઉપસ્થિત રહ્યા હતા જે તસ્વીરમા નજરે પડે છે (અહેવાલઃ મુકુંદ બદીયાણી, તસ્વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(11:38 am IST)