Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જેસરથી ગાંધી સંકલ્પ યાત્રા શરૂ

ભાવનગરઃ મહાત્મા ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતિની ઉજવણી અંતર્ગત ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા ભાવનગર જિલ્લામાં 'ગાંધી સંકલ્પ યાત્રા'નું આયોજન કરવામાં આવ્યું છે. 'ગાંધી સંકલ્પ યાત્રા' અંગે શહેર ભાજપ કાર્યાલય ખાતે યોજવામાં આવેલ પત્રકાર પરિષદમાં સાંસદ ભારતીબેન શિયાળ, મહેશભાઇ રાવળ, વનરાજસિંહ ગોહિલ, કિશોરભાઇ ભટ્ટ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. સાંસદ ભારતીબેન શિયાળે ગાંધી સંકલ્પ યાત્રા અંગે માહિતી આપી હતી. જેસર તાલુકાના અપાવેજ ગામ ખાતેથી સોમવારે પ્રસ્થાન થનાર આ યાત્રા પાલિતાણા, તળાજા અને ભાવનગર ગ્રામ્ય વિધાનસભા વિસ્તારના ગામમાં ફરનાર છે.

(11:34 am IST)