Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

થાનગઢના નવાગામમાં કોૈટુંબીક સગા વચ્ચે મારામારી-પથ્થરમારોઃ પાંચ ઘાયલ થયા

રાજકોટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ ઘરમેળે સમાધાન કરી લીધું

રાજકોટ તા. ૪: ચોટીલાના થાનગઢના નવાગામમાં સાંજે કોૈટુંબીક સગાઓ વચ્ચે વ્યવહારિક વાતચીત વખતે બોલાચાલી બાદ મારામારી થતાં એક બીજા પર હુમલો કરી પાણકાના ઘા કરવામાં આવતાં પાંચને નાની-મોટી ઇજા થઇ હતી. થાન સારવાર લઇ રાજકોટ દાખલ થયા હતાં. જો કે અહિથી પણ રાતે જ રજા લઇ લીધી હતી અને ઘરમેળે સમાધાન કરી લીધું હતું.

ઇજાગ્રસ્તોમાં નવાગામ રહેતાં હંસાબેન ધનાભાઇ કુણપરા (ઉ.૪૦), ધનાભાઇ રણછોડભાઇ કુણપરા (ઉ.૪૨), કેતન ધનાભાઇ (ઉ.૧૨) અને કાળીબેન નવઘણભાઇ કુણપરા (ઉ.૪૫)ને ઇજા થઇ હતી. આ લોકોએ પોતાના પર સંજય ચોથા, હેતલ સંજય, રમેશ જેરામ, સજનબેન રમેશ સહિતે હુમલો કર્યાનું કહ્યું હતું. સામા પક્ષે ગોૈરીબેન અનિલભાઇ પારઘી (ઉ.૩૬) પણ દાખલ થયા હતાં અને પોતાના પર હંસાબેન, દિનેશભાઇ, સંજય સહિતે હુમલો કર્યાનું જણાવ્યું હતું. થાન પોલીસના કહેવા મુજબ મામેરા વખતના વ્યવહારની વાતચીત વખતે માથાકુટ થઇ હતી. કુટુંબીજનો જ હોઇ કોઇ પક્ષે ફરિયાદ નોંધાવી નથી અને ઘરમેળે સમાધાન કરી લીધું છે.

(12:09 pm IST)