Gujarati News

Gujarati News

News of Friday, 4th October 2019

કચ્છનો પાંચ દિવસ પ્રવાસ કરશે રાજ્યમંત્રી વાસણભાઇ

ભુજ,તા.૪:રાજયના સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોના કલ્યાણ અને પ્રવાસન રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે આજે ૮/૧૦/૨૦૧૯ દરમિયાન કચ્છના પ્રવાસે આવ્યા છે.

તેઓ એ આજે તા.૪ના રોજ ૧૨.૦૦ કલાકે મુકતજીવન સ્વામીબાપા મહિલા કોલેજ, ભુજ ખાતે કચ્છ યુનિવર્સિટીના નવમાં કોન્વોકેશન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બપોરે ૧૪.૦૦ કલાકે ભુજના ટાઉનહોલ ખાતે શિક્ષણ વિભાગ આયોજિત શૈક્ષણિક ચિંતન શિબિર અને સન્માન સમારંભમાં અને બપોરે ૧૭.૦૦ કલાકે ગાંધીધામ ચેમ્બર્સ ભવન હોલ ખાતે દિનદયાલ પોર્ટ આયોજિત એવોર્ડ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

કાલે તા. ૫/૧૦/૨૦૧૯ના રોજ સવારે ૯.૩૦ કલાકે બિનાની હોલ, હોટલ રેડીશન, ગાંધીધામ ખાતે દિનદયાલ પોર્ટ ટ્રસ્ટ આયોજિત ફર્નિચર પાર્કના ઉદ્દદ્યાટન કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તા.૬ના રોજ ૧૦.૩૦ કલાકે આઇ.સી.ડી.સી. ઓફિસ તાલુકા પંચાયતની બાજુમાં અંજાર ખાતે આઇસીડીએસ ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બાદમાં ૧૧.૩૦ કલાકે વીરા ખાતે આધુનિક પંચાયત દ્યરના લોકાર્પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તા.૭ના  ૧૧.૦૦ કલાકે ત્રણ રસ્તા દેશલપર ખાતેથી દેશલપર-હાજીપીર રસ્તાના ખાતમુહુર્ત કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

તા.૮ના રોજ ૮.૩૦ કલાકે પાંતીયા ખાતે સંસદસભ્યશ્રી સાથે સંકલ્પસિધ્ધિ પદયાત્રામાં અને બાદમાં ૧૮.૩૦ રતનાલ ખાતે દશેરાના સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

(12:06 pm IST)