Gujarati News

Gujarati News

News of Thursday, 4th October 2018

ત્રણ સંતાનનો પિતા આદિવાસી શખ્સ સગીરાને ભગાડી જતાં ચકચાર

વિસાવદરનાં મોટા હડમતીયા ગામનો બનાવ

જુનાગઢ તા. ૪: વિસાવદરનાં મોટા હડમતીયા ગામે ત્રણ સંતાનનો પિતા આદિવાસી શખ્સ સગીરાને ભગાડી જતા ચકચાર વ્યાપી ગઇ છે.

આ અંગેની વિગતો એવી છે કે, વિસાવદર તાલુકાના મોટા હડમતીયા ગામના એક ખેડુતની વાડીએ મજુરી કામ કરતો છોટા ઉદેપુરનો કિરીટ રમણ નાયક નામનો શખ્સ સાથે જ મજુરી કામ કરતા આદિવાસી પરિવારની ૧૪ વર્ષની સગીર પુત્રીને બદઇરાદે ભગાડી જઇ અપહરણ કરી ગયો હોવાની પોલીસ ફરિયાદ થઇ છે.

સગીરાને ભગાડી જનાર કિરીટ નાયક પરિણીત અને ત્રણ સંતાનનો પિતા હોવાનું જાણવા મળેલ છે. (૭.૧૯)

 

(12:25 pm IST)