Gujarati News

Gujarati News

News of Tuesday, 4th September 2018

ધ્રાંગધ્રા માલવણ હાઇવે પર એસટી બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત: એકનું મોત: 4 લોકો ઘાયલ

 

   ફોટો ST

સુરેન્દ્રનગર:ધ્રાંગધ્રા માલવણ હાઇવે આજે  વહેલી સવારે એસ.ટી.બસ અને ખાનગી ટ્રાવેલ્સ વચ્ચે અકસ્માત થયો હતો. અકસ્માતના પગલે ચાર લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જ્યારે એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.

  ઇજાગ્રસ્તોને ઇમર્જેન્શી એમ્બ્યુલન્સ 108ની મદદથી હોસ્પિટલ ખસેડવામા આવ્યા હતા ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા. એસટી બસ ઝાદોલ-મોરબી- ટકારા એસટી બસને આ અકસ્માત નડ્યો છે.

(1:24 pm IST)