Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

ભાવનગરના મોટા ખોખરાના આર્મી જવાન શહિદ

પરેશભાઈ કિરીટભાઈ નાથાણીનો પાર્થિવદેહ પંચમહાભૂતમાં વિલીનઃ રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમવિધી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર, તા. ૪ :. ભાવનગરના મોટા ખોખરા ગામના આર્મી જવાનનું નિધન થતા આજે સવારે વતનમાં તેને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાયા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર જીલ્લાના ઘોઘા તાલુકાના મોટા ખોખરા ગામના વતની પરેશભાઈ કિરીટભાઈ નાથાણી નામના આર્મી જવાનનું નિધન થયુ છે. તેઓ ૬૮ આર્મ્ડ રેજીમેન્ટમાં ફરજ બજાવી રહ્યા હતા. તેમનું નિધન થતા આજે સવારે મોટા ખોખરા ગામે તેમના પાર્થિવદેહને લાવવામાં આવ્યો હતો અને આર્મીના અધિકારીઓની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય સન્માન સાથે આર્મીમેન પરેશભાઈ નાથાણીની અંતિમવિધિ કરાઈ હતી.

(11:00 am IST)