Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

મોરબી- વાંકાનેર- હળવદમાં કોરોનાના વધુ ૧૪ કેસ : ૩ દર્દીના મોતથી અરેરાટી

મોરબી,તા.૪: મોરબી જીલ્લામાં કાલે મોરબી, હળવદ અને વાંકાનેરમાં વધુ ૧૪ કેસો નોંધાયા છે તો ત્રણ દર્દીના મોત થયા છે જયારે ૧૦ દર્દીઓ સ્વસ્થ થયા છે.

મોરબી જીલ્લાના નવા કેસોમાં મોરબીની મોચી શેરીમાં રહેતા ૭૫ વર્ષના પુરુષ, હળવદના વોરાવાડના ૬૭ વર્ષના પુરુષ, મોરબીના ગ્રીન ચોક હનુમાન દેરીવાળી શેરીના ૭૨ વર્ષના પુરૂષ, કાયાજી પ્લોટ પવનસુત પાર્કના ૪૭ વર્ષના પુરુષ, જેઈલ રોડ લોહાણા પરાના ૮૧ વર્ષના પુરુષ, પંચવટી સોસાયટી સમર્પણ એપાર્ટમેન્ટના ૫૭ વર્ષના પુરુષ, રણછોડનગરના ૪૦ વર્ષના પુરુષ, વજેપર શેરી નં ૧૩ ના ૪૦ વર્ષના પુરુષ, જેઈલ રોડ પરના ૫૮ વર્ષના મહિલા, વજેપર શેરી નં ૦૮ ના ૬૭ વર્ષના મમહિલા, વાંકાનેર વિવેકાનંદ સોસાયટીના ૨૯ વર્ષના પુરુષ, મોરબી એવન્યુ પાર્કના ૫૨ વર્ષના પુરુષ, મોરબી મોટી માધાણી શેરી ૪૨ વર્ષના પુરુષ અને બોની પાર્કના રહેવાસી ૫૧ વર્ષના પુરુષનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે ઙ્ગ

કાલે વધુ ૧૦ દર્દીઓ કોરોનાને મ્હાત આપી સ્વસ્થ થયા છે તો આજે ત્રણ દર્દીના મોત થયા છે વાંકાનેરના પ્રતાપ ચોકના ૬૫ વર્ષના પુરુષ,મોરબી રોયલ પાર્ક વાવડીના ૬૫ વર્ષના પુરુષ, મોરબી મોચી શેરીના ૭૫ વર્ષના પુરુષના કોરોનાને પગલે મૃત્યુ થયા છે મોરબી જીલ્લામાં નવા ૧૪ કેસ સાથે કુલ કેસનો આંક ૩૮૩ થયો છે જેમાં ૧૪૦ એકટીવ કેસ, ૨૧૬ દર્દીઓ સ્વસ્થ થાય છે જયારે જીલ્લામાં કુલ મૃત્યુ આંક ૨૭ થયો છે.

(11:37 am IST)