Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

આજે સાંજે શ્રાવણ સુદ પુર્ણિમા નિમિતે શ્રી સોમનાથ મહાદેવને ચંદ્ર દર્શન શ્રૃંગાર

વેરાવળ-પ્રભાસ પાટણ :.. ગઇકાલે શ્રાવણના દ્વિતીય સોમવારે સોમનાથ મહાદેવને સાયં શ્રૃંગારમાં બોરસલી શૃંગાર કરવામાં આવેલ, આજરોજ ભકતો દ્વારા ૧૦ જેટલી ધ્વજા પુજા કરવામાં આવેલ હતી. સોમનાથ મહાદેવના દર્શનાર્થે સાંજે ૬.૩૦ સુધી દસ હજારથી વધુ ભકતો આવેલા હતાં. આજે શ્રાવણ સુદ પુર્ણિમા નિમિતે શ્રી સોમનાથ મહાદેવને ચંદ્રદર્શન શ્રૃંગાર કરાયો છે. (તસ્વીર - અહેવાલ : દિપક કકકડ-વેરાવળ) દેવાભાઇ રાઠોડ (પ્રભાસપાટણ)

(11:34 am IST)