Gujarati News

Gujarati News

News of Monday, 4th July 2022

દ્વારકા જિલ્લામાં કાલથી ૧૯મી સુધી વંદે ગુજરાત રથયાત્રા

ખંભાળીયા તા. ૪ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલથી તા. ૧૯-૭-રર સુધી પંદર દિવસ વંદે ગુજરાત વિકાસ યાત્રાનું આયોજન જિલ્લા કલેકટરશ્રી એમ. એ. પંડયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં કરાયું છે જેના સમગ્ર જિલ્લાના લાયઝન તરીકે અધિક નિવાસી કલેકટર કે. એમ. જાની તથા પ્રાંત દ્વારકા શ્રી તલસાલીયા, પ્રાંત  કોટડીયા તમામ ટી. ડી. ઓ., મામલતદારો તથા પાલિકા ચીફ ઓફીસરો જોડાશે.

આવતીકાલે ધરમપુર તથા કલ્‍યાણપુરના નંદાણાથી આ વિકાસ યાત્રાનો પ્રારંભ થશે રોજ સવાર-સાંજ આ યાત્રામાં બે રથ નીકળશે તથા દરેક વિસ્‍તારમાં જશે અને સરકારની કામગીરી રજૂ કરશે.

૬-૭ ના હર્ષદપુર, ૭-૭ ના ખંભાળીયા ન.પા., તા. ૮-૭ ના સલાયા ન.પા., તા. ૯-૭ ના શકિતનગર, તા. ૧૦-૭ ના ચાર બાટા, તા. ૧૧-૭ ના વાડીનાર તા. ૧ર-૭ ના બજાણા, તા. ૧૩-૭ ના ભાડથર તા. ૧૪-૭ ના વડત્રા તા. ૧પ-૭ ના ઢેબર તા. ૧૬-૭ ના મોટા કાલાવડ, તા. ૧૭-૭ ના ભાણવડ, તા. ૧૮-૭ ના સણખળા તથા તા. ૧૯-૭ ના વેરાવળ ગામે કાર્યક્રમ થશે.

(1:33 pm IST)