Gujarati News

Gujarati News

News of Saturday, 4th July 2020

પોરબંદરમાં મોબાઇલ પશુ દવાખાના વાનનું પ્રસ્થાન

પોરબંદરઃ રાજ્ય સરકાર પીપીપી મોડલથી શરૂ કરાયેલ મોબાઈલ પશુ દવાખાનાને પોરબંદર જિલ્લા કલેકટર  ડી.એન.મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણીએ લીલીઝંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યુ હતુ. પ્રથમ તબક્કામાં શરૂ કરાયેલ આ યોજનાનો લાભ પોરબંદર તથા કુતિયાણા તાલુકાના ૨૦ ગામોના ૨૭ હજાર જેટલા પશુઓને આવરી લેવાશે. પશુપાલકો ૧૯૬૨ ઉપર ફોન કરી તેમના પશુધન માટે આરોગ્ય વિષયક સેવા વિનામુલ્યે મેળવી શકશે. મોબાઇલવાનનું પોરબંદરના પાલખડા તથા કુતિયાણાના ચૌટા ખાતે મુખ્ય મથક રહેશે તેમ પશુપાલન અધિકારી ડો. રાવલે જણાવ્યું હતું પ્રથમ તબક્કામાં પોરબંદર જિલ્લાને રાજય સરકાર દ્વારા બે એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. પોરબંદર જિલ્લો ખેતી અને પશુપાલન ક્ષેત્રે આગવુ સ્થાન ધરાવતો હોય રાજય સરાકારના આ મહત્વના નિર્ણયથી પશુપાલન વ્યવસાયને વેગ મળશે. ફકત એક કોલ દ્વારા ઘર આંગણે  વિનામૂલ્યે બિમાર પશુઓની સારવાર કરવામાં આવશે. રાજય સરકારના આ મહત્વના નિર્ણયને પોરબંદર જિલ્લાના પશુપાલકોએ આવકાર્યો છે. આ પ્રસંગે જિલ્લા પશુપાલન અધિકારી ડો.કે.બી.રાવલ તથા પશુ ડોકટરો અને પાઇલોટ ઉપસ્થિત રહ્યા હતા.  મોબાઇલ પશુ દવાખાના વાનનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું તે તસ્વીર.

(11:32 am IST)