Gujarati News

Gujarati News

News of Wednesday, 4th July 2018

જામજોધપુરના વાલાસણ ગામે સરપંચ સામેની અવિશ્વાસની દરખાસ્તનું સુરસુરિયુ

જામજોધપુર તા.૪: તાલુકાના વાલાસણ ગામે સરપંચ સામે થયેલી અવિશ્વાસનું સુરસુરિયુ થઇ જતા ટેકેદારોમાં હરખ સાથે જ ગ્રામજનોમાં તરેહ-તરેહની ચર્ચાએ જોર પકડયું છે.

આ અંગેની વિગત મુજબ વાલાસણ ગામે સરપંચ કાનજીભાઇ મકવાણા વિરૂધ્ધ ઉપસરપંચ અને સભ્યોએ અવિશ્વાસની દરખાસત રજુ કરાતાજ ગ્રામપંચાયત ખાતે ઇન્ચાર્જ તળાટી શ્રી સોલંકી, ઇન્ટસ્પેકટર શ્રી પાડલીયાની ઉપસ્થિતિમાં સભ્યો સાથે બેઠક યોજાઇ હતી. પરંતુ અવિશ્વાસની તરફેણમાં એક પણ સભ્યોએ મતદાન કર્યુ નહોતુ... જેમાં નવાઇની વાત એ છે કે, અવિશ્વાસ દરખાસ્ત રજૂ કરનારા ઉપસરપંચે પણ દરખાસ્તની તરફેણમાં મતદાન નહિ કરતા અંતે સુરસુરીયુ થઇ જવા પામ્યુ હતું.

(11:31 am IST)