Gujarati News

Gujarati News

News of Friday, 4th June 2021

પતિએ આપઘાત કર્યા બાદ સગર્ભા પત્નિએ પણ મોત મીઠુ કર્યું

ભાવનગર જીલ્લાનાં દેવગાણા ગામમાં બે વર્ષ પહેલા જ લગ્નગ્રંથીથી જોડાયેલ દંપતિના મોતથી અરેરાટી

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૪: ભાવનગરનાં દેવગાણા ગામે પતિએ ઝેરી દવા પી આત્મહત્યા કરતાં પત્નિએ પણ એસીડ પી આત્મહત્યા વહોરી લીધી હતી.

આ બનાવની વિગતો એવી છે કે ભાવનગર જીલ્લાનાં સિહોર તાલુકાનાં દેવગાણા ગામે રહેતાં રબારી યુવાન સગરામભાઇ મકાભાઇ ચાવડા ઉ.વ. ર૧ એ કોઇ કારણોસર તેનાં ઘરે ઝેરી દવા પી આત્મહત્યા વહોરી લીધી હતી.

પતિએ આપઘાત કરતાં લાગી આવતાં સગરામભાઇનાં પત્નિ અસ્મીતાબેન સગરામભાઇ ચાવડા ઉ.વ.ર૦ પણ તેનાં શૌચાલયમાં જઇને એસીડ પી લેતાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયું હતું.

પતિ-પત્નિનાં મોતથી પરિવારમાં ભારે ગમગીની ફેલાઇ ગઇ છે. બનાવની કરૂણતાએ છે કે મૃતક અસ્મીતાબેન સગર્ભા હતા. તેઓનાં હજુ બે વર્ષ પહેલા જ લગ્ન થયા હતા અને ગયા અઠવાડીએ જ સીમંતવિધી કરી હતી.

(11:00 am IST)