Gujarati News

Gujarati News

News of Thursday, 4th June 2020

કચ્છમાં બે દિ'માં બે મોત સાથે મૃત્યુ આંક પાંચઃ દર્દીઓ ૮૨: ૧૮ સારવારમાં

કોરોનામાં મૃત્યુ પામનારા બન્ને વૃધ્ધ દર્દીઓને ડાયાબીટીસ, બ્લડ પ્રેસરની બીમારી હોવાનું તંત્રનું નિવેદન

ભુજ,તા.૪: એક તબક્કે કોરોનાની ઓછી અસર ધરાવતા કચ્છમાં રાજય બહારથી આવનારાઓને છૂટથી પ્રવેશ અપાયા પછી કોરોનાના દર્દીઓનું પ્રમાણ વધ્યું છે તેની સાથે હવે મૃત્યુ આંક પણ વધી રહ્યો છે. મંગળવારે ગાંધીધામના કે. નાગેશ્વરરાવ અને બુધવારે માંડવીના રત્નાપર ગામના ખીમજીભાઈ નાકરાણીના મોતને પગલે કચ્છમાં કોરોનાથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધીને પાંચ થઈ છે. છેલ્લે બન્ને મૃત્યુ પામનારાઓ ૬૦ વર્ષની આસપાસના હતા અને બન્નેને ડાયાબીટીસ તેમ જ બ્લડ પ્રેસરની તકલીફ હોવાનું તંત્રએ જણાવ્યું છે. અત્યાર સુધી કચ્છમાં કોરોના પોઝિટિવના દર્દીઓની સંખ્યા ૮૨ થઈ છે. જેમાંથી ૫૯ દર્દીઓ સ્વસ્થ થયા બાદ રજા આપી દેવાઈ છે. જયારે અત્યારે ૧૮ દર્દીઓ અલગ અલગ કોવિડ ૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

(11:23 am IST)