Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

શ્રી વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ-જામનગરની નવી કારોબારી સમિતીની રચના

પ્રમુખ તરીકે ચંદુભાઇ ગોંડલિયાની વરણી

જામનગર, તા.૪ : તાજેતરમાં શ્રી વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ-જામનગરની નવી કારોબારી-૨૦૧૮ની ચુંટણી યોજાયેલ હતી. જેમાં શ્રી વાટલીયા પ્રજાપતિ સમાજના પંચ ધનજીભાઈ કાનજીભાઈ ધોળકિયા, સુરેશભાઈ ગોકળભાઈ ગોંડલિયા, મુકેશભાઈ ઉકાભાઈ ગોંડલિયા, નવીનભાઈ પીતાંબરભાઈ ગોંડલિયા અને પ્રવિણભાઈ ગોવિંદભાઈ ગોંડલિયાની આગેવાની હેઠળ તટસ્થ ચુંટણી દ્વારા સભ્યોની નિયુકતી કરવામાં આવેલ. જેમાં સ્પષ્ટ બહુમતીથી પ્રમુખ પદે ચંદુભાઈ મકનજીભાઈ ગોંડલિયાની નિમણુક કરવામાં આવેલ છે.

તેમજ ઉપપ્રમુખ પદે ગીરીશભાઈ રાઘવજીભાઈ અમેથીયા, તેમજ મંત્રી હિતેષભાઈ સવજીભાઈ ઓઝા, તેમજ  સહમંત્રી વિપુલભાઈ ધનજીભાઈ ધોળકીયા, તેમજ ખજાનચી નિતિનભાઈ ઠાકરશીભાઈ ઉનાગર, તેમજ સહખજાનચી નાથાભાઈ આંબાભાઈ આંબલીયા, તેમજ ઓડીટર રમેશભાઈ બાબુભાઈ ધંધુકીયા અને મિલનભાઈ સુરેશભાઈ આંબલીયા, સંગઠનમંત્રી ભિખુભાઈ દામજીભાઈ ધોળકિયા અને મનીષભાઈ ચમનલાલ સરવૈયાની નિમણુક કરેલ છે.

તેમજ સલાહકાર નરેશભાઈ ખોડીદાસભાઈ ઓઝા અને રમેશભાઈ ઉકાભાઈ ગોંડલીયા, તેમજ સભ્ય રાકેશભાઈ દામજીભાઈ આંબલીયા, હિતેષભાઈ બાબુભાઈ ઉનાગર અને વિશાલભાઈ વલ્લભભાઈ ધોળકીયાની પસંદગી કરેલ છે તેમ એક યાદીમાં જણાવાયું છે. (૨૪.૪)

 

(12:05 pm IST)