Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

યમનમાં વાવાઝોડામાં ફસાયેલા સલાયાના ૩૭ ખલાસીઓને બચાવાયા

ભારતીય નેવી દ્વારા ઓપરેશનઃ વાવાઝોડુ સિકોતર ટાપુ ઉપર

ભુજ-જામનગરઃ યમનના વાવાઝોડામા ફસાયેલા સલાયાના ૩૮ ખલાસીઓને બચાવીને વતનમા લઇ જવા તજવીજ હાથ ધરાઇ હતી. (અહેવાલઃ મુકુંદ બદિયાણી, વિનોદ ગાલા,કિંજલ કારસરીયા-જામનગર-ભુજ)

ભુજ-જામનગર તા.૪: યમન નજીક ‘‘મેકુનુ'' વાવાઝોડુ ત્રાટક્‍યા બાદ સૌરાષ્‍ટ્ર-કચ્‍છના ખલાસીઓ શીપ સાથે ફસાયા હતા તેઓને ભારતીય નેવી દ્વારા બચાવી લઇને વતન લાવવા તજવીજ હાથ ધરાઇ છે

યમન નજીક આવેલા સિકોતર બંદર ઉપર ઇન્‍ડિયન નેવીનુ પી.૫૭ શિપ પહોંચ્‍યુ હતુ અને જામનગરના સલાયાના ૩૮ ખલાસીઓને બચાવી લેવાયા હતા.

દસ દિવસ પહેલા અખાતી દેશના દરિયામાં ત્રાટકેલા અને યમનના અખાતમાં કાળોકેર વરસાવનાર વાવાઝોડામાં સૌરાષ્‍ટ્ર કચ્‍છના ખલાસીઓ અટવાયા હતા.

કચ્‍છી વહાણવટી એસોએશનના પૂર્વ પ્રમુખ કાસમ જાફરાબાદીએ આ વાવાઝોડા સંદર્ભે આપેલી માહિતી અનુસાર યમનના દરિયામાં ૮ જેટલા વહાણોએ જળ સમાધિ લીધી હતી જે સૌરાષ્‍ટ્ર-કચ્‍છના હતા. આ વાવાઝોડામાં અટવાયેલા ખલાસીઓ માટે કાસમ જાફરાબાદીએ ઇમેઇલ મારફત વિદેશ મંત્રાલયને રજુઆત કરતા ભારતીય નેવીએ યમનના સિકોતર ટાપુ ઉપર આશ્રય લેનાર ૩૭ ખલાસીઓને બચાવીને વતનમાં લઇ આવવાની કામગીરી હાથ ધરી છે.

જે અનુસાર આ ખલાસીઓ ચારેક દિવસમાં પોરબંદર ઉતરશે. આ ૩૭ ખલાસીઓ વેરાવળ, પોરબંદર, જામસલાયા અને માંડવીનો છે  જો કે ૭ થી ૮ ખલાસીઓએ તોફાનમાં જીવ ગુમાવ્‍યા છે. કચ્‍છી વહાણવટી એસોસીએશને વિદેશ મંત્રી સુષ્‍મા સ્‍વરાજનો આભાર માન્‍યો છે.

(11:39 am IST)