Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

જામનગરમાં ઘોડાગાડી લઈ બેફામ દોડતા શખ્સને ટકોરતા કોર્પોરેટરને છરી દેખાડી જાનથી મારી નાખવાની ધમકી

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૪: સીટી એ પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર ગોપાલભાઈ ગોરધનભાઈ સોરઠીયા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી ગોપાલભાઈએ તથા સાહેદો જામનગર રણજીતનગર પટેલ સમાજમાં કોવિડ હોસ્પિટલ ખોલવાની હોય જેનું સમાજવાડીમાં કામ ચાલુ હોય જે બાબતે સમાજવાડીના ગેઈટ પાસે ઉભા રહી ચર્ચા વિચારણા કરતા હોય તે દરમ્યાન આરોપી અકરમ યુસુફભાઈ સફીયા એ પોતાની ઘોડા ગાડી દોડાવતો નિકળતા ફરીયાદી ગોપાલભાઈએ તેને રોકી કહેલ કે આમ ગીચ વિસ્તારમાં ઘોડા ગાડી ન દોડાવાય તેમ કહેતા આરોપી અકરમ યુસુફભાઈ સફીયા એ એકદમ ઉશ્કેરાઈ જઈ ઘોડા ગાડી આમ જ ચાલશે આમા માણસ પર મરે અને ઘોડા પણ મરે તેમ કહેતા સાહેદ કોર્પોરેટર દિવ્યેશભાઈએ કહેલ કે કેમ આવું બોલે છે તો આરોપી કહેલ કે અમો મિયા ભાઈ છીએ જેથી અમને આટલી હવા હોય જ તેમ કહી થોડે આગળ જઈ સહ આરોપીઓ ઈમરાન રઝાક મકરાણી, મુસ્તાક હનીફ સફીયા, કામસ ઓસમાણભાઈ બ્લોચ તથા અન્ય ત્રણ વ્યકિતઓને ફોન કરી બોલાવી સાહેદ દિવ્યેશભાઈની પાસે આવી આરોપીઓએ સાહેદ દિવ્યેશભાઈને ભુંડા બોલી ગાળો બોલી આરોપી અકરમ યુસુફભાઈ સફીયા એ પોતાના નેફામાંથી છરી કાઢી સાહેદ દિવ્યેશભાઈને કહેલ કે ઘોડા ગાડી અહીંથી જ નીકળશે અને જો કોઈ રોકવાની કોશીષ કરશે તો તને આ છરી થી જાનથી મારી નાખીશ તેમ કહી જાનથી મારી નાખવાની ધમકી આપી ગેરકાયદેસર મંડળી રચી આરોપી અકરમ યુસુફભાઈ સફીયા એ તિક્ષ્ણ હથીયાર છરી ધારણ કરી જિલ્લા કલેકટરના જાહેરનામાનો ભંગ કરી ગુનો કરેલ છે.

એકલવાયું જીવનથી કંટાળી વૃઘ્ધે કેરોસીન છાંટી જાતજલાવી

રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી ગામે રહેતા રમેશભાઈ ઓધવજીભાઈ તેરૈયા ઉ.વ.પપ એ જામજોધપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર ઓધવજીભાઈ રણછોડભાઈ તેરૈયા, ઉ.વ.૮૦, રે. ધુનડા ગામ, તા.જામજોધપુર, જિ.જામનગરવાળા ખુબ વયોવૃઘ્ધ હોય અને તેઓ એકલવાયુ જીવન જીવતા હોય તેમજ અવાર–નવાર દાઢનો દુઃખાવો રહેતો હોય જેથી એકલવાયા જીવનથી કંટાળી તથા દાઢના દુઃખાવાથી કંટાળી પોતાના ઘરે પોતાના હાથે કેરોસીન છાંટી સળગી જતા મરણ થયેલ છે.

(12:53 pm IST)