Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

લોકડાઉન વચ્ચે વાંકાનેરમાં વ્યાજખોરોની કડક ઉઘરાણીઓથી ત્રાસીને ખોજા યુવકનો આપઘાત

વાંકાનેર, તા. ૪ : વાંકાનેર ગ્રીન ચોકથી સીટી સ્ટેશન રોડ પર આવેલ તાલુકા શાળા-૧ની બાજુમાં આવેલ કિર્તી સ્ટુડીયોની ભાડે રાખેલ દુકાનમાં સોમવારે બપોર મધ્યે ખોજા યુવક ફિરોજ પ્યારઅલી ખોજા-રાજાણીએ અચાનક ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.

સાંભળવા મળતી વિગતો મુજબ મળતાવડો સ્વભાવ ધરાવતો મૃતક ફિરોજ વ્યાજના ચક્કર આવી જઇ, તેમાં વળી તે શાક બકાલા સહિત સીઝનેબલ ધંધો કરતો હતો.

તેમાં પણ લોકડાઉનને કારણે છેલ્લા માસ ઉપરાંત સમયથી ધંધામાં પણ મંદી હોઇ, વ્યાજખોરોની કડક ઉઘરાણીઓના માનસિક દબાણ તળે ખોજા યુવાને આપઘાત કરી જીવનનો અંત આણ્યો છે. મૃતકને એક બહેન છે જે વિધવા છે. એક પત્ની અને પુત્ર છે. આ બધાની આર્થિક જવાબદારી પણ આ મૃતકની જ શીરે હતી.

(4:18 pm IST)