Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામનગર અને બોટાદમાં કોરોનાના ૩-૩ પોઝીટીવ કેસ

જામનગરમાં દરબારગઢમાં અમદાવાદથી આવેલા ૩ મહિલાઓને સારવારમાં ખસેડાઇઃ બોટાદમાં ૩ પુરૂષો ઝપટે

જામનગર-બોટાદ,તા.૪: જામનગર અને બોટાદમા ંઆજે કોરોના પોઝીટીવના ૩-૩ કેસ આવતા દોડધામ મચી ગઇ છે.

જામનગર

જામનગર : શહેરમા કોરોનાના વધુ ૩ પોઝિટિવ નોંધાયા છે. અમદાવાદથી આવેલી ૩ મહિલાઓ કોરોના પોઝિટિવ આવ્યા છે. દરબારગઢ વિસ્તારની ત્રણેય મહિલાઓ રહેવાસી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જામનગર ગ્રીન ઝોન જાહેર થયા બાદ ગણતરીના કલાકોમાં જ ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જેથી જામનગરમાં કોરોના પોઝિટિવનો આંક પહોંચ્યો ૪ પર પહોંચ્યો છે.

અમદાવાદથી આવેલા ૫ મહિલાઓ અને ૩ બાળકોને ધ્રોલના સમરસ સેન્ટરમાં રખાયા હતા. જેમાંથીઙ્ગ શબાના ઇર્ષાદ નામની ૪૦ વર્ષીય મહિલા, મહેઝબિન એઝાંઝ નામની ૨૩ વર્ષીય યુવતી ઉપરાંત રુબીના સાજિદ સુમરા નામની ૨૭વર્ષીય મહિલાને કોરોના પોઝિટિવ આવ્યા છે. હાલ ત્રણેય મહિલાઓને કોરેન્ટાઇન કરવામાં આવી છે. તેમ કલેકટરશ્રી રવિશંકરે જણાવ્યું છે.

બોટાદ

બોટાદઃ બોટાદમાં આજે વધુ ૩ કોરોનાના પોઝિટિવ કેસ આવતા દોડધામ મચી ગઇ છે. જેમાં ૪૫ વર્ષ, પ૫ વર્ષ અને ૫૭ વર્ષના ૩ પુરુષોને કોરોના પોઝિટિવ આવેલ છે. અત્યાર સુધીમાં કોરોના થી એક વ્યકિતનું મોત નિપજયું છે જયારે અત્યાર સુધીમાં કોરોનાના ૩૩ કેસ નોંધાયા છે તેમ જિલ્લા કલેકટર વિશાલ ગુપ્તાએ જણાવ્યું છે.

 

(4:15 pm IST)