Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

તળાજાના જિનિંગ ઉદ્યોગપતિએ લગ્નની એનિવર્સરી ગરીબો સાથે ઉજવી

ભાવનગર : તળાજાના વૃંદાવન જિનિંગ ફેકટરીના સંચાલક અને આહીર સમાજના અગ્રણી મધુભાઈ ભાદરકા ની આજે લગ્નની એનિવર્સરી હતી.લગ્નની બાવીસમી એનિવર્સરી તેઓએ અહીં બાપા ની મઢુંલી ખાતે ચાલતા અન્નક્ષેત્ર ખાતે ઉજવી હતી.અહીં દરરોજ બપોરે જરૂરિયાત મંદો માટે ચાલતા રસોડા ના આજે તેઓ મુખ્ય દાતા બન્યા હતા.લગ્નની રસોઈ માં લાડુ ગાંઠિયા સહિત નું ભોજન હોય તેવુજ મેનુ બનાવ્યું હતું.જાતેજ જરૂરિયાત મંદો ને પીરસી એનિવર્સરી ઉજવવાનો નિજાનંદ આનંદ માણ્યો હતો. અહીં ફોરેસ્ટ વિભાગમાં ફરજ બજાવતા ડોડીયા ભાઈએ પણ પોતાના જન્મ દિવસ હોય અન્નક્ષેત્ર ને આર્થિક સહયોગ આપ્યો હતો.તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : વિપુલ હિરાણી)

(11:59 am IST)