Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

જામજોધપુરના મોટીગોપ વિસ્તારના મજુરોને વતન પરત મોકલાયા

જામજોધપુર, તા., ૪: જામજોધપુર તાલુકાના સિદસર તથા મોટીગોપ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય મધ્યપ્રદેશ રાજયના મજુરોને પોતાના માદરે વતન જવા ઇચ્છા ધરાવતા ૯૦ (નેવુ) જેટલા તેના પરીવાર સાથે જીલ્લા કલેકટર સાહેબ દ્વારા આપવામાં આવેલ મંજુરીથી જામજોધપુર પોલીસ સ્ટેશનના પો.ઇન્સ. આર.બી.પ્રજાપતી એ.એસ.આઇ. વર્ષાબેન ગોહીલ, એ.એસ.આઇ. રામભાઇ ચાવડા, પો.હેડ કોન્સ. ગીરીરાજસિંહ જેઠવા, પો.હેડ કોન્સ. રમેશભાઇ બાવરીયા, રાઇટર સ્ટાફ દ્વારા મજુરોના નામોની ચકાસણી કરી મેડીકલ ટીમ દ્વારા તપાસણી કરવામાં આવેલ. ઉપરોકત કામગીરીમાં સીદસર ગામના સરપંચ ભરતભાઇ માકડીયા તેમજ મનોજભાઇ દ્વારા પુરતો સહયોગ આપેલ. સંદીપ ટ્રાવેલ્સની ૩ બસોમાં પરપ્રાંતીય મજુરોને માદરે વતન જવા રવાના કરવામાં આવેલ હતી.

(11:44 am IST)