Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

જામનગરના વકિલ કિરીટ જોષીની હત્‍યાના વિરોધમાં ધરણા

જામનગર તા.૪: જામનગર બાર એસોસિએશનના સભ્‍ય વકીલ કિરીટભાઇ જોશીની હત્‍યા કરવામાં આવેલ છતા આજદીન સુધી હત્‍યારાઓ પકડાયેલ ના હોય તેના વિરોધમાં આજે સવારેના ૧૧ થી સાંજના ૬ વાગ્‍યા સુધી લાલ બંગલા સર્કલ ખાતે વકીલ મિત્રો ધરણા ઉપર બેઠા છે. ત્‍યાર બાદ સાંજના ૬ વાગ્‍યે ધરણા સ્‍થળ પર જામનગરના સંસદસભ્‍ય પુનમબેન માડમ તથા ધારાસભ્‍ય ધર્મેન્‍દ્રસિંહ (હકુભા)જાડેજા તથા સામાજીક સંસ્‍થાના આગેવાનોની ઉપસ્‍થિતિમાં પ્રેસ કોન્‍ફરન્‍સ રાખવામાં આવેલ છે.(તસ્‍વીરઃ કિંજલ કારસરીયા-જામનગર)

(4:34 pm IST)