Gujarati News

Gujarati News

News of Friday, 4th May 2018

માણેકપુર ગામે રૂ. ૧૯ લાખા ખર્ચે તળાવ ઉંડુ ઉતારાશે

ગીર-સોમનાથ તા.૪: ગીર-સોમનાથ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના તળે તા. ૧લી મેથી જળસંગ્રહ અભિયાન શરૂ કારાયું છે. જે અંતર્ગત ઉના તાલુકાના માણેકપુર ગામે મનરેગા યોજના હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા ગ્રામ્ય તળાવ ઉંડુ ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.

ગ્રામ્ય તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીમાં દરરોજ ૭૧૧ શ્રમીકો સહભાગી થાય છેે. શ્રમીકોના યોગદાનથી ૧૦૬૬૫ માનવદિન રોજગારીનું નિર્માણ થશે. તેમજ આ તળાવ ઉંડુ ઉતારવાથી વરસાદી પાણીનો વધુ સંગ્રહ  થશે. જેનાથી ભુર્ગભ જળ રીચાર્જ થતાં આજુ-બાજુ ના ખેડુતોને લાભ મળશે. તસ્વીરમાં તળાવની કામગીરી થતી નજરે પડે છે.

(11:41 am IST)