Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જૂનાગઢમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ પશુઓની વ્હારે

સમગ્ર દેશમાં કોરોના વાયરસના લીધે લોકડાઉન હોય નિરાધાર પશુઓ ભૂખ્યા રહેતા હોય ત્યારે આંતરરાષ્ટ્રીય હિન્દુપરિષદ દ્વારા જૂનાગઢ ના મધુરમ વિસ્તાર  નિરાધાર ગૌવંશને લીલો ચારો નાખવા માં આવ્યો . આજ દિન સુધીમાં ગૌરક્ષાના જિલ્લા અધ્યક્ષ ગોરધન ભાઈ ચૌહાણ ના નેતૃત્વમાં વિવિધ જગ્યાઓ ઉપર ૭૦૦ મણ જેટલો ચારો નાખવામાં આવ્યો છે. આજે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદ ના જિલ્લા મંત્રી સુરેશ ભાઈ બજાણીયા તેમજ જાણીતા હાસ્ય કાર જીતુભાઇ દ્વારકા વાળા પણ સહયોગી થયા હતા.  અને હજુ પણ લોકડાઉન શરૂ રહશે ત્યાં સુધી આ કાર્ય શરૂ રાખવામાં આવશે. તેમ સંસ્થાના યાદીમાં જણાવાયું છે.

(1:07 pm IST)