Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

જેતપુરમાં નિરાધાર લોકો માટે હરિઓમ વૃધ્ધાશ્રમ દ્વારા અનેરી ભોજનસેવા

જૂનાગઢ : જેતપુર ખાતે નવાગઢ રોડ પર હાઇવે રોડ પર હરિ ઓમ વૃધ્ધાશ્રમ આવેલુ છે. તેના સંચાલક કાળુભાઇ જોશી, અસંખ્ય તરછોડાયેલા વૃધ્ધોને પરિવારની જેમ સાચવે છે અને હાલમાં આ કોરોનાની પરિસ્થિતિની કારણે જરૂરીયાતમંદ ગરીબ લોકોને ખાવા ભોજનથી મળતુ ત્યારે આવા નિરાધાર લોકોને ઘરે ઘરે જઇ ગુંદી, ગાઠીયા, સુકીભાજી, રોટલા રોટલી વગેરે ભોજન પહોચાડી રહ્યા છે. ઉપરોકત તસ્વીરમાં શ્રી હરિઁ સેવાટ્રસ્ટના વાહનમાં જરૂરિયાતમંદોને ભોજન આપતા કાળુભાઇ જોશી અને તેની ટીમ નજરે પડે છે.(અહેવાલ : વિનુ જોશી, તસ્વીર : મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:06 pm IST)