Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

માળીયાહાટીનાના શિક્ષકો લોયેજ સ્વામી.મંદિર દ્વારા કોરોના પીડીતોને સહાય

 માળીયાહાટીના : તાજેતરમાં જ સમગ્ર વિશ્વમાં કોરોનાના વાયરસથી દેશ ભારે મૂંઝવણમાં મુકાઇ છે. ત્યારે અનેક સંસ્સથાઓ દ્વારા સરકારને આર્થિક મદદ કરાય છે ત્યારે જુનાગઢ જિલ્લાના લોયેજ ગામના જિલ્લાના જ છે સ્વામિનારાયણ મંદિરના ૧૦ર વર્ષના વયોવૃદ્ધ મહંત સ્વામીશ્રી ચૈતન્ય સ્વરૂપદાસજી કોઠારી સ્વામીશ્રી હરિપ્રકાશદાસજી ભંડારી સ્વામીશ્રી ધર્મ કિશોરદાસજી અને ગામના યુવાન સરપંચ રવીભાઇ નંદાણીની હાજરીમાં મામલતદારશ્રીને લોયેજ સ્વામિનારયાણ મંદિર તરફથી રૂપિયા પાંચ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાં અર્પણ કરેલ છે. આ ઉપરાંત માળીયાહાટીના તાલુકા પ્રાથમીક શિક્ષકો દ્વારા પણ એક દિવસનો પગાર મુખ્યમંત્રીના રાહતનિધિ ફંડમાં આપવાનું નકકી કરતા કુલ રૂ.૧૦,૯૯,પ૧૦ નો ચેક મામલતદારને સંઘના પ્રમુખ હમીરભાઇ સિંધવ તથા તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી તથા પંચાયતના કમાણીએ મામલતદારને અર્પણ કરેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મહેશ કાનાબાર)

(11:35 am IST)