Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

ભાવનગરમાં કોરોનોગ્રસ્ત મૃતકના પત્ની અને પુત્રવધુના રિપોર્ટ પોઝીટીવઃ ૯ કેસ

ભાવનગર તા. ૪: ભાવનગરમાં કોરોનાગ્રસ્ત મૃતકનાં પત્નિ અને પુત્રવધુનાં પોઝીટીવ રીપોર્ટ આવતાં ભાવનગરમાં પોઝીટીવ કેસની સંખ્યા ૯ એ પહોંચી છે.

ભાવનગરમાં દિલ્હીની નિઝામુદ્દીન મસ્જિદમાં જઇ પરત ભાવનગરમાં આવેલા વૃધ્ધનું કોરોનાને કારણે ગઇ તા. ર૬મીનાં રોજ મૃત્યુ થયું હતું. ત્યારબાદ તંત્ર દ્વારા તેનાં સંપર્કમાં આવેલ લોકોને તેનાં ઘરમાંજ કોરોન્ટાઇન કરવામાં આવ્યા હતા.

દરમ્યાન મૃતક પરિવારની વધુ બે મહિલાઓનાં કોરોના રીપોર્ટ પોઝીટીવ આવતાં ખળભળાટ મચી ગયો છે. મૃતકનાં પત્ની અને પુત્રવધુનાં રીપોર્ટ પોઝીટીવ આવ્યા હોવાનું જાણવા મળેલ છે. આમ ભાવનગરમાં કોરોના પોઝીટીવની સંખ્યા નવ સુધી પહોંચી ગઇ છે. જયારે કોરોનાથી મૃત્યુ આંક બે છે. (૭.૧૧)

(11:36 am IST)