Gujarati News

Gujarati News

News of Thursday, 4th March 2021

વાંકાનેરના કણકોટ પાસે ફોર વ્‍હીલરની ઠોકરે ચડતાં શાંતિલાલ બારીયાનું મોતઃ એકને ઇજા

રાજકોટ તા. ૪: વાંકાનેરના કણકોટ પાસે વાડી વિસ્‍તારમાં અજાણી ફોરવ્‍હીલરની ઠોકરે બે લોકો ચડી જતાં ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ એકનું મોત નિપજ્‍યું હતું. જાણવા મળ્‍યા મુજબ કણકોટ રસુલભાઇની વાડી પાસે રહી મજૂરી કરતાં નવલસિંગ ઓધવજી બારીયા (ઉ.વ.૪૦) અને શાંતિલાલ બારીયા (ઉ.વ.૪૨) કણકોટ વાડી વિસ્‍તારમાં હતાં ત્‍યારે અજાણી ફોરવ્‍હીલરની ઠોકરે ચડી જતાં બંનેને ગંભીર ઇજા થતાં સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયા હતાં. પરંતુ શાંતિલાલનું સારવાર દરમિયાન મોત નિપજતાં અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના રાજુભાઇ ગીડા અને અનોપસિંહ ઝાલાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરી હતી. (

(12:12 pm IST)