Gujarati News

Gujarati News

News of Saturday, 4th February 2023

જૂનાગઢમાં ‘તુ કેમ મારી વાતો કરે છે' કહી મનત ચુડાસમાને મિત્ર આર્યને છરી ઝીંકી દીધી

સગીરને રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

જૂનાગઢમાં ‘તુ કેમ મારી વાતો કરે છે' કહી મનત ચુડાસમાને મિત્ર આર્યને છરી ઝીંકી દીધી

સગીરને રાજકોટ બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો

જૂનાગઢ તા. ૪ : જૂનાગઢના જોષીપરામાં રહેતા સગીરને તેના મિત્રએ ‘તુ કેમ મારી વાતો કરે છે' કહી છરી વડે હુમલો કરતા સગીરને સારવાર માટે રાજકોટ બાદ અમદાવાદ ખસેડાયો છે.

મળતી વિગતો મુજબ જૂનાગઢના જોષીપરામાં રહેતો મનત અરવિંદભાઇ ચુડાસમા (ઉ.૧૭) ગઇકાલે મિત્રો સાથે ઘર પાસે હતો ત્‍યારે ઘર પાસે રહેતો મિત્ર આર્યન નામના શખ્‍સે આવી ‘તું કેમ મારી વાતો કરે છે' કહી ઝઘડો કરી ઉશ્‍કેરાઇ જઇ છરી વડે હુમલો કરતા મનતને પગના ભાગે ઇજા થઇ હતી. બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. બાદ મનતને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. મનત ધો. ૧૦માં અભ્‍યાસ કરે છે. પિતા પેન્‍ટીંગ કામ કરે છે. આ અંગે જૂનાગઢ પોલીસે તપાસ આદરી છે.(૨૧.૧૩)

 

(1:37 pm IST)