Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

રીબડાના દિનેશભાઇ પેઢડીયાના કારખાને શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (અલ્હાબાદ)ની પધરામણી

વાંકાનેર : રાજકોટ નજીક રીબડામાં રાજકોટના ત્રિશુલ પંપવાળા ભોલેબાબાના સેવક દિનેશભાઇ પેઢડીયા દ્વારા 'રોલ એન્ડ કાસ્ટ' ના નવા બનતા કારખાને શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા (અલ્હાબાદ) ના જમાતના સંતોની પધરામણી રાજકોટના ત્રિશુલ પંપ વાળા અને જાણીત ઉદ્યોગપતિ તેમજ પ.પૂ. પ્રાંતઃ સ્મરણીય સદ્ગુરૂદેવશ્રી ભોલેબાબાજીના અનન્ય સેવક શ્રી દિનેશભાઇ નાથાભાઇ પેઢડીયા દ્વારા રાજકોટ નજીક રીબડા રેલ્વે સ્ટેશન પાસે એક નવુ પોતાનું એકમ 'રોલ એન્ડ કાસ્ટ' બની રહ્યુ છે. જેનું ભૂમિપૂજન થોડા દિવસ પહેલા શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્વાણ બડા અખાડા) (અલ્હાબાદ - પ્રયાગરાજ)ના મહંત પૂ. શ્રી શ્રી રઘુમુનીજી મહારાજશ્રીએ કરેલ હતું જે જગ્યામાં શ્રી પંચ પરમેશ્વર ઉદાસીન પંચાયતી નિર્માણ બડા અખાડા (ભ્રમણ શીલ અલ્હાબાદ - પ્રયાગરાજ) ની જમાતના સંતો - મહંતો પધારેલા હતા સાથે અખાડાના મહંત શ્રી શ્રી અદૈતાનંદજી મહારાજશ્રી પધાર્યા હતા અખાડાનું  સ્વાગત વાજતે - ગાજતે  બેન્ડ પાર્ટી દ્વારા કરવામાં આવેલ. નાની નાની બાળાઓએ સ્વાગત કરેલ. તેમજ અખાડામાં થતી વિશેષ શ્રી ગીલા સાહેબનું પૂજન દિનેશભાઇ પેઢડીયા તથા પેઢડીયા પરિવારે કરેલ હતું. તેમજ પૂ. ભોલેબાબાજીનું પૂજન અર્ચન - મહાપ્રસાદ યોજાયેલ હતો. સહુ ભકતજનોએ દર્શનનો અમુલ્ય લ્હાવો લીધેલ હતો.  (તસ્વીર - અહેવાલ : હિતેશ રાચ્છ - વાંકાનેર)

(11:44 am IST)