Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

હળવદ પાસે તારંગાધામ તિર્થમાં ધ્વજારોહણ

હળવદ : હળવદ - ધ્રાંગધ્રા રોડ પર ચુલી ગામ પાસે શ્રી તારંગાધામ ખાતે જિનાલયમાં સ્વ.રંજનબેન કાંતીલાલ ઉજમશી શાહ પરિવાર ઇંગોરળાવાળા હાલ હળવદ દ્વારા જૈન દેરાસર ઉપર ધ્વજારોહણ કરેલ. તીર્થમંડળ અમીઝરા અજિતનાથ જિનાલયની ૧૧મી સાલગીરા પ્રસંગે કચ્છ વાગડ દેશોદ્વાર આધ્યાત્મ યોગી પરમ ઉપકારી પુ.શ્રીકલભુર્ણસુરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન સરલ સ્વભાવી પુ.કુમુદચંદ્રસુરીશ્વરજી મ.સા. આદિઠાણા-ર તથા શાસન સમ્રાટ નેમીસુરીશ્વરજી મ.સા.આદિઠાણા-ર ના આશિર્વાદથી આ ધ્વજારોહણ કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે સંગીતમય શૈલીમાં ભજન કિર્તન, આશિર્વચન યોજાયેલ. નવકારશી જમણ પણ યોજાયો. આ પ્રસંગે હળવદ, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર વગેરે સ્થળોએથી લાભાર્થીઓ પધારેલ. આ કાર્ય માટે કાંતીલાલ ઉજમશી શાહ પરિવાર ઇંગોરાળાવાળાએ જહેમત ઉઠાવેલ. ધ્વજારોહણની તસ્વીરો.(તસ્વીર : હરીશ રબારી, હળવદ)

(11:34 am IST)