Gujarati News

Gujarati News

News of Thursday, 4th February 2021

કેશોદના પ્રફુલભાઈ ધુળા આર્મીમાંથી નિવૃત થતા વિવિધ સંસ્થાઓ દ્વારા સ્વાગત

કેશોદઃ કેશોદના પ્રફુલભાઈ ધુળા આર્મીમાં સતત ૧૬ વર્ષ ફરજ બજાવી દેશ સેવામાં શહેરનું નામ રોશન કરનાર આજરોજ નિવૃત થઇ કેશોદ ખાતે વતનમાં આવી પહોંચતા નિવૃત સૈનિક પ્રફુલભાઈ ધુુળાનું કેશોદના ચાર ચોક વિસ્તારના ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે દબદબાભેર સ્વાગત કરવામાં આવેલ હતુ. જેમાં કેશોદ ધારાસભ્ય દેવાભાઈ માલમના તેમજ ભાજપના આગેવાનો તેમજ કેશોદ કોંગ્રેસના આગેવાનોએ પુષ્પગુચ્છથી સ્વાગત કરી કળશધારી બાળાઓએ કુમ કુમ તિલક કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે ભારત વિકાસ પરિષદના પ્રમુખ શ્રી.ડો.સ્નેહલ તન્ના તેમજ મહાવીર સિંહ જાડેજા અને દિનેશભાઈ કાનાબાર તેમજ તેમની ટીમ દ્વારા ફૂલહાર કરીને તેમજ નિવૃત આર્મીના જવાનોએ અને તેમના કુટુંબોજનો તેમજ શહેરના આગેવાનો દ્વારા કેશોદના ચાર ચોક વિસ્તારમાં ડી.જે ના તાલે દાંડિયા રાસ સાથે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું સાથે ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને હુલહાર કરવામાં આવ્યા હતા. આનંદ ઉત્સાહ સાથે નિવૃત ફૌજીનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતું.(તસ્વીર-અહેવાલઃ સંજય દેવાણી.કેશોદ)

(10:27 am IST)