Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

ભાવનગરમાં સ્વાઇન ફલુથી ૩ દિ'માં પના મોત

ભાવનગર તા. ૪ :.. ભાવનગરમાં સ્વાઇન ફલુથી વધુ બે નાં મોત નિપજયા છે હાલમાં ૧૭ પોઝીટીવ દર્દીઓ સારવાર હેઠળ છે. છેલ્લા ત્રણ દિવસમાં ભાવનગર હોસ્પીટલમાં પાંચનાં મોત સ્વાઇન ફલુને કારણે થયા છે.

ઠંડી વધતા ભાવનગરમાં સ્વાઇન ફલુનો સંકજો પણ વધુ પ્રસર્યો છે. ભાવનગરની સરટી. હોસ્પીટલમાં સ્વાઇન ફલુની સારવાર લઇ રહેલ પાલીતાણા તાલુકાનાં ઠાડય ગામનાં પ૦ વર્ષીય મહિલાનું અને બોટાદનાં કાનીયાડ ગામનાં પર વર્ષીય આઘેડનું મોત નિપજયુ હતું. આ બે નાં મોતથી છેલ્લા ત્રણ દિવસમાં જ ભાવનગરની હોસ્પીટલમાં સ્વાઇન ફલુથી પાંચનાં મોત નિપજયા છે.  તેમજ હાલમાં સરટી. હોસ્પીટલમાં ૧૭ પોઝીટીવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. (પ-રર)

(12:10 pm IST)