Gujarati News

Gujarati News

News of Monday, 4th February 2019

લોધીકાના રતનપરમાં નાગજીભાઇ ભરવાડનો ઝાડમાં લટકીને આપઘાત

રાજકોટ હોસ્પિટલમાં દમ તોડ્યોઃ પરિવારજનોમાં કલ્પાંત

રાજકોટ તા. ૪: લોધીકાના રતનપર ગામમાં રહેતાં ભરવાડ આધેડે વહેલી સવારે પોતાના ઘરના વાડામાં ઝાડમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પરિવારમાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જાણવા મળ્યા મુજબ રતનપરમાં રહેતાં નાગજીભાઇ બીજલભાઇ શિયાળ (ઉ.૪૫) નામના ભરવાડ આધડ સવારે સાડા પાંચેક વાગ્યે ઘરના વાડાના ઝાડમાં લટકતાં દેખાતા પરિવારજનોએ દેકારો મચાવતાં અડોશી-પડોશી ભેગા થઇ ગયા હતાં. નાગજીભાઇને બેભાન હાલતમાં નીચે ઉતારી સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે તેમને મૃત જાહેર કરતાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને દિપસિંહ ચોૈહાણે લોધીકા પોલીસને જાણ કરી હતી. આત્મહત્યા કરનાર નાગજીભાઇ બે બહેન અને ચાર ભાઇમાં મોટા હતાં. સંતાનમાં બે પુત્ર તથા બે પુત્રી છે.  તેઓ બોલેરો ગાડીના ફેરા કરી ગુરજાન ચલાવતાં હતાંઉ આપઘાતનું કારણ પરિવારજનો જાણતાં ન હોઇ પોલીસે તપાસ યથાવત રાખી છે. (૧૪.૬)

 

(11:51 am IST)