Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

જુનાગઢની પરિણીતા પર ભંડુરીનાં કાપડના વેપારીનો બળાત્કાર

રૂ.૬૦ લાખ કઢાવવાની માંગ કરી બદનામીની બીક બતાવી

જુનાગઢ તા.૭ :   જુનાગઢમાં ઝાંઝરડા રોડ વિસ્તારમાં આવેલ ગોકુલધામમાં રહેતી એક ૩૦ વર્ષીય પરિણીતાએ વેરાવળના ભંડુરી ગામે રહેતા કાપડના વેપારી ભરતભાઇ સાજણભાઇ ભરડા સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે.

જેમાં મહિલાએ જણાવેલ કે ભરત ભરડા મહિલાના ઘરે કપડાનો સ્ટોક બતાવવાનાં બહાને આવેલ. આ પછી છરી બતાવી ધમકી આપી મહિલા ઉપર બળાત્કાર ગુજાર્યો હતો.

તેમજ મહિલાના  પતિ અને દિકરાને મારી નાંખવાની ધમકી આપી ભોગ બનનાર પાસે બળજબરી રૂ.૬૦ લાખ કઢાવવાની માંગણી કરીને નરાધમે બદનામ કરી દેવાની ધમકી આપી હતી.

ભરત ભરડાએ તા.૧૬-૦ર-૧૯થી તા.ર-૧-ર૦નાં સમય ગાળામાં મહિલા પર પાંચેક વખત દુષ્કર્મ આચર્યુ હોવાની ફરીયાદના આધારે બી ડીવીઝન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

વિશેષ તપાસ મહિલા પી.આઇ. જે.પી. વરીયા ચલાવી રહયા છે.

(1:00 pm IST)