Gujarati News

Gujarati News

News of Saturday, 4th January 2020

તળાજા શિવકથામાં મૌલવી, સમસ્ત મુસ્લિમ સમાજ જોડાયો

ભાવનગરઃ ભાવનગરનાતળાજા સ્મશાન ના વિકાસ માટે આયોજિત શિવ કથામાં આજે ઇતિહાસ આલેખાયો હતો. શિવ કથામાં સમસ્ત મુસ્લિમ સમાજ ના આગેવાનો અને મૌલવી પણ જોડાયા હતા. સાથે સ્મશાન ની ભૂમિ માટે રોકડ દાન પણ આપવામાં આવેલ હતું. તળાજા કોમી એખલાસ, એકતા માટે હંમેશા કઈક નવું આગળ પડતું કરવા ઓળખાય છે. શહેરમાં સ્મશાન ના વિકાસ અને ભૂમિદાન માટે ચાલતી શિવકથા મા આજે સમસ્ત મુસ્લિમ સમાજની પેટા જ્ઞાતિઓના આગેવાનો એ શિવ કથાનો લાભ લીધો હતો. મૌલવીઓ પણ જોડાયા હતા.મંચ પરથી સૌનું સ્વાગત અને અભિવાદન કરવામાં આવેલ હતું. મરહુમ અબ્દુલ કરીમભાઈ દસાડીયા પરિવાર માં મોભી અને મુસ્લિમ સમાજ ના આગેવન આયુબભાઈ દસાડીયા તરફ થી રોકડ દાન આપવામાં આવેલ હતું.

(11:46 am IST)