Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

પ્રાથમિક સુવિધાઓ બાબતે કાલે સુરેન્દ્રનગર બંધ

સુરેન્દ્રનગર તા. ૪ : સુરેન્દ્રનગરમાં ચૂંટણી જતા ની સાથે ઠેર ઠેર ખોદકામ, પાણીની લાઈનો, ગટરની લાઈન, તદ્દન રસ્તા ખરાબ અને ધૂળનું સામ્રાજય સુરેન્દ્રનગર પર ખેરાયેલું છે ત્યારે સુરેન્દરનગરમાં પ્રાથમિક સુવિધાનો અભાવ હોવાના કારણે આવતીકાલ તા. ૫ના ગામ બંધનું સ્વૈચ્છિક એલાન સુરેન્દ્રનગરની જનતા દ્વારા કરવામાં આવેલ છે. અગાઉ પણ સુરેન્દ્રનગરની પ્રજા દ્વારા તા. ૧૦/૬/૨૦૧૭ માં સ્વૈચ્છિક રીતે બંધ પાળવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સુરેન્દ્રનગરની ત્રાહિમામ જનતા જોડાયી હતી.

આ કાર્ય ખાસ સુરેન્દરનગર ના સિનિયર સિટિજનો કે.એલ.રાજદેવ, ઘનશ્યામભાઇ વગેરે દ્વારા ચલાવવા માં આવે છે અને સુરેન્દ્રનગરની જનતાના સ્વથ્યને હાનિ ન પહોંચે તે માટે મસ્ક આપવા માં આવે છે જેને કારણે ઊડતી ધૂળ લોકોને નુકસાન ન કરે.

(12:34 pm IST)