Gujarati News

Gujarati News

News of Thursday, 4th January 2018

સોમનાથમાં બ્રહમપુરી થી પઠાણવાડા સુધી ગંદકી દુર્ગંધ મારતા ઢગલાઓ : યાત્રીકોમાં ભારે રોષ

વેરાવળ તા.૪: સોમનાથ બ્રહમપુરી થી પઠાણવાડા સુધી રોડ ઉપર દુર્ગંદ મારતા ઢગલા ઓથી ભારે ગંદકી ફેલાયેલ છે જેથી સ્થાનીક તથા દેશ વિદેશથી આવતા યાત્રીકોમાં ભારે રોષ ફેલાયેલ છે.

આ વિસ્તારમાં આવેલ હાજરોની સંખ્યામા રહેતા રહેવાસીઓ તથા અનેક હોટલો આવેલી છે ત્યાં દરરોજ મોટી સંખ્યમાં યાત્રીકોની આવક જાવક હોય છે એકાલ કીલો મીટર રોડમાં  હજારો મોટરકાર, મોટરસાઇકલ આવક જાવક કરતી હોય છે તે રોડ ઉપર દુર્ગંધ મારતા કચરાના ઢગલાઓથી રોષ ફેલાયેલ છે અનેક ફરીયાદો કરવા છતા પાલિકા તંત્ર દ્વારા  કચરો  ઉપાડવા ન આવતા સ્થાનીકો તથા હોટલ માલીકોએ માણસો તથા વાહનો બોલાવી આ ગંદકી દુર કરેલ છે પણ હજુ પણ અનેક ઢગલાઓ પડેલ હોય તે તાત્કાલીક દુર થાય તેવી માંગ ઉઠી છે.

(11:22 am IST)